Saturday, February 13, 2010

હવે કદાચ વાઘ નહિ આવે...

આપણી એક પ્રચલિત બાળવાર્તા છે,જેમાં એક ભરવાડ એનાં બકરાંને ચરાવવા રોજ સીમમાં જાય.ભરવાડનો સ્વભાવ થોડો રાખી સાવંત જેવો હશે એટલે એને ટિખળ સૂઝે અને સ્વયંવરની જેમ એ પણ અમસ્તીજ બૂમો પાડે કે "વાઘ આવ્યો.... વાઘ આવ્યો..." ભરવાડની બૂમો સાંભળી ગામલોકો વાઘને મારવા આવી પહોંચે છે,પણ વાસ્તવમાં ત્યાં વાઘ આવેલો ન હતો.બીજી વખત પણ ભરવાડભાઈએ એવુંજ કર્યુ અને ગામલોકોને અમસ્તાંજ દોડાવ્યાં.



પછી એક વાર એવું બને છે કે ભરવાડભાઈ એમનાં નિત્યક્ર્મ મુજબ બકરાં લઇને નિકળે છે અને ત્યાં એને સાચેજ સક્ષાત વાઘનાં દર્શન થાય છે,ભરવાડભાઈ વાઘને જોઈ ફરી બૂમો પાડે છે પણ ભરવાડભાઈનાં પાછલા રેકોર્ડને કારણે આ વખતે લોકો આવતા નથી.... પછી...???પછી શું???પછી ભરવાભાઈ બૂમો પાડતાજ રહી જાય છે અને વાઘ એકાદ બકરીનો હળવો નાસ્તો કરીને પોતાના રસ્તે પડે છે.


ઊપરની વાર્તામાં ત્રીજી વખત વાઘ આવે છે,પરંતુ હવેનાં અનુંસંધાનમાં જોઈએ તો કદાચ વાઘ આવવાનાં ચાન્સ ઓછા છે.કરણકે વાઘ હવે રહ્યાં જ છે કેટલાં??? "૧૪૧૧...." સાવ નજીવી સંખ્યા...!!હવે થોડાં વર્ષો પછી કદાચ ભરવાડ બૂમો પાડે તો લોકો ઉત્સુકતાથી બધા કામો પડતા મુકીને દોડતા આવશે કે "ચાલો જોઇએ તો ખરાં વાઘ કેવો હોય!!"


કેટલી શરમજનક વાત છે,દેશની એક અબજ વસ્તીમાં માત્ર ૧૪૧૧ વાઘ?વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરીને છટકી ગયાં,બસ વાર્તા પૂરી.વાઘની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો કેમ થાય?વાઘનાં મરવાં પાછળનાં કારણો કયાં?કંઇજ દરકાર નથી રાખી આપણે...વાઘની ઘટતી સંખ્યા પાછળ સ્વાઈનફ્લૂ કે એઈડ્સ તો જવાબદાર ન જ હોય ને??


તો વાઘ ગયાં કયાં?અને કોણ છે જવબદાર એની પાછળ?અને શું એ જવાબદારો પાછળ કોઇ નક્ક્ર્ર પગલાં ભરાય છે?ઘણાં સવાલો ઊઠે છે,પણ એકનોય જવાબ નથી.સરકાર "સેવ ટાઈગર" ની ઝુંબેશ ચાલાવે છે,પણ નથી તો એ વાઘનાં ખરાં દુશ્મનોને ઝબ્બે કરતી કે તેમને પકડવાનાં પ્રયાસો કરતી...


ખેર,સરકાર કહે છે કે બ્લોગ અને એસએમએસ વડે વાઘની આ કફોડી હાલત વિશેનો પ્રચાર-પ્રસાર કરો અને લોકોમાં જાગ્રુતિ આણો,એટલે સરકારે કહ્યું અને મને યોગ્ય લાગ્યું એટલે મેં બ્લોગ પર કહ્યું,આ તો ખો-ખો ની રમત જેવું છે.હુ તમને ખો આપું છું,તમે કોને આપશો???બોલો આથી વિશેષ આપણે કંઈ કરી શકીશું???

5 comments:

  1. Sachi Vat kahi dost...
    pan aapnu mane chhe kon ?

    ReplyDelete
  2. ha bhai tamara jeva sachu kahe nara ane sahityakar ne hu sakshat namskar karu chu.

    ReplyDelete
  3. Areyy ankit tu aatlu saras vichare 6e.....tari vaat to sachi 6e....aapne kaik to karvu j padse TIGER's maate

    ReplyDelete
  4. એક વન્યજીવપ્રેમી હોવાના નાતે મને ઘણુ દુઃખ છે.વાઘ લુપ્ત થતી પ્રજાતી છે.હવે તો કદાચ વાઘની મુર્તિ મુકે ,તો પણ લોકો જોવા આવે.

    ReplyDelete
  5. Yep ... correct guys but I feel we need to do something ...Stop this kho-kho game first ... think abt wt v ought 2 do ...

    ReplyDelete