Showing posts with label અંકિત દેસાઈ. Show all posts
Showing posts with label અંકિત દેસાઈ. Show all posts

Tuesday, August 5, 2014

કાન્તિ ભટ્ટથી પ્રભાવિત થવાની કોઈ જરૂર નથી

ગુજરાતી પત્રકારત્વના ઘણા પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર છે ‘કાન્તિ ભટ્ટ ટાઈપ’નું પત્રકારત્વ! અત્યાર સુધીમાં કાન્તિ ભટ્ટે સેંકડો નહીં, પરંતુ હજારોની સંખ્યામાં લેખો લખ્યાં છે. તેમના પુસ્તકોની સંખ્યા બસોને આંટી જાય એટલી છે, જેમાં ‘દિલ તો પાગલ હૈ’, ‘જીવન એક સંઘર્ષ’, ‘સુવર્ણરેખા’, ‘તમારી જાતને વફાદાર તો રોજ દિવાળી’, ‘ચેતનાની ક્ષણે’, ‘સ્વસ્થ રહો, સુખી રહો’, ‘આહ! જિંદગી... વાહ! જિંદગી’, ‘જીવન જીવવાની કળા’, ‘પ્રેરણાદર્શન’ વગેરેનો સમાવેશ થાય છે. હજુ ગયા મહિને જ તેઓ પંચ્યાસી વર્ષના થયાં અને આજે પણ તેઓ દિવસના બેથી વધુ લેખો લખે છે. સ્થિતપ્રજ્ઞ કહી શકાય એવા કાન્તિ ભટ્ટે પત્રકાર તરીકેની તેમની કારકિર્દીમાં દાઉદ ઈબ્રાહિમથી લઈને ઓશો રજનીશ સુધીના વિવિધ ક્ષેત્રોના લોકોના ઈન્ટરવ્યુ તેમજ દિલધડક ઘટનાઓનું સ્પોટ રિપોર્ટિંગ કર્યું છે અને આમ છતાં તેઓ સ્વીકારે છે કે તેમણે જીવનમાં બીજાઓથી કંઈ વિશેષ કર્યું નથી. તેઓ તેમના દરેક અનુભવોને સમાન ગણાવે છે. મુંબઈ જેવા શહેરમાં અલગારી થઈને રહેવું અત્યંત કપરું છે પરંતુ કાન્તિ ભટ્ટ બોરીવલીમાં સાતમે માળે આવેલા તેમના ફ્લેટમાં લેખન અને પત્રકારત્વની ધૂણી ધખાવીને બેઠા છે. આને કદાચ ગુજરાતી પત્રકારત્વનું નસીબ જ કહેવાય કે સાધુ થવા નીકળેલા કાન્તિ ભટ્ટે કોઈક કારણસર વિચાર માંડી વાળ્યો અને પત્રકારત્વમાં આવ્યા. પછી જે થયું તેને ‘રેસ્ટ ઈઝ અ હિસ્ટ્રી’ એવું કહી શકાય. ‘ગુજરાત ગાર્ડિયન’એ તેમની મુલાકાત લીધી ત્યારે તેમણે અમારી સાથે માંડીને વાતો કરી અને તેમના ભૂતકાળને પણ વાગોળ્યો. તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે:

આટલા વર્ષોના અનુભવ પછી તમે પત્રકારત્વને કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો?

આજના માહિતી અને જ્ઞાનના યુગમાં પત્રકારત્વ એ સૌથી ઉત્તમ ક્ષેત્ર છે. આજે તો બધા હવે પૈસા કમાવવામાં પડ્યા છે. પત્રકારત્વમાં પણ કેટલાક લોકો માત્ર પૈસા કમાવાના આશયથી જ આવે છે. પહેલાના સમયમાં પત્રકારત્વમાં એટલા પૈસા ન હતા ત્યારે તો પત્રકારે ગાંઠના ગોપીચંદન પણ કરવા પડતા પરંતુ હવે તો કોલમિસ્ટોને પણ ઘણા પૈસા મળે છે. ખરેખર પત્રકારત્વ તો એક મિશન હોવું જોઈએ પરંતુ એ બહુ દુઃખદ વાત છે કે આજે કેટલાક પત્રકારો ઉદ્યોગપતિઓ અને સરકારને ખુશ રાખવામાં તેમજ વગદાર લોકોના હિતોની જાળવણી કરવામાં રચ્યાંપચ્યાં રહે છે. આટલા વર્ષોના અનુભવ પછી હું આ તારણ પર પહોંચ્યો છું.

તમે પત્રકારત્વ કેમ પસંદ કર્યું?

તમે આપણા કાઠિયાવાડના લોકોની એક ખૂબી વિશે તો જાણતા જ હશો. કાઠિયાવાડમાં લોકો માતાના પેટમાંથી જ પત્રકારત્વ શીખીને આવતા હોય છે. એકે જાણેલી વાત બીજાને કહેવી એ અમારા સ્વભાવમાં હોય છે. પણ હા, એમાં મારી-તારી પંચાતનો ભાવ નથી હોતો. હું ચાર વર્ષનો હતો ત્યારથી જ પત્રકાર હતો. અમારા ગામની ગ્રામપંચાયતમાં પત્રકાર તરીકે કામ કરતો રહેતો. હું પંદર વર્ષનો હતો ત્યારે તો એક મેગેઝિનનો તંત્રી હતો. આ ઉપરાંત તે સમયે ભાવનગરથી પ્રકાશિત થતા ‘ભાવનગર સમાચાર’માં રિપોર્ટિંગ પણ કરતો અને તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ બધું હું કોઈ પણ જાતના આર્થિક સ્વાર્થ કે વળતરની આશા વિના કરતો. એટલે બીજાઓની તો ખબર નથી પરંતુ હું સો ટકા એવું કહી શકું કે પત્રકારત્વ મારા લોહીમાં જ છે.

પરંતુ વ્યવસાય તરીકે મેં પત્રકારત્વ કેમ પસંદ કર્યું એ પાછળ બહુ રસપ્રદ કથા સંકળાયેલી છે. અહીં એમ પણ કહી શકાય કે હું એક્સિડન્ટલી પત્રકારત્વમાં આવી ગયો. આનો જવાબ ઘણો લાંબો છે એટલે હું તમને વિગતે જણાવીશ. હું મારા કાકાના પૈસે ભણ્યો અને તેમની મદદથી જ હું બીકોમ પણ થયો. પછી તેમણે મલેશિયામાં નવી પેઢી ખોલી એટલે તેમણે મને ત્યાં બોલાવી લીધો. એમના સાત છોકરા હતા અને મને તેમણે આઠમો દીકરો માન્યો, સાચવ્યો પણ ખરો. હું ત્યાં આઠ વર્ષ રહ્યો.

મારી સાથે એવું હતું કે હું જે કામ કરતો એમાં પારંગત થઈ શકતો. તે સમયે એ પેઢીમાં બીજા પણ એક ભાઈ કામ કરતાં હતા અને તેમણે મારું કામ જોયેલું. એટલે એક દિવસ એમણે મને કહ્યું, “કાન્તિ, તું કેટલું ધ્યાન દઈને કામ કરે છે. પણ જો આમ ને આમ કામ કરતો રહીશ તો મરી જઈશ. તું તારો ભાગ માગ.” એટલે મેં કાકા પાસે એક પૈસો ભાગ માગ્યો, રૂપિયામાં એક પૈસાનો ભાગ માગ્યો! પણ એની તો ઘણી અવળી અસર થઈ. જ્યારે હું કાકા સાથે કામ કરવા ગયો ત્યારે હું તેમનો આઠમો દીકરો હતો, પણ જ્યારે મેં ભાગ માગ્યો ત્યારે તેમણે મને ‘જસ્ટ ગેટ આઉટ’ કહીને કાઢી મૂક્યો. મેં મારો બધો અસબાબ લીધો ને ત્યાંથી નીકળીને સીધો અહીં આવી ગયો. મને સમાજ પ્રત્યે રીતસરનો તિરસ્કાર થઈ ગયો. મલેશિયા જતાં પહેલા મેં થોડો સમય ઉરૂલીકાંચનમાં સેવક તરીકે ફરજ બજાવી હતી. ઉરૂલીકાંચનમાં ગાંધીજીનો નિસર્ગોપચાર આશ્રમ હતો અને હું ત્યાં અડસઠ રૂપિયાના પગાર સાથે સેવા કરતો. પછી કાકાએ બોલાવ્યો એટલે મલેશિયા ગયો અને એમણે મને ત્યાંથી કાઢી મૂક્યો એટલે ફરી હું અહીં આમ-તેમ ફરવા લાગ્યો. હું મનથી ઘણો ભાંગી ગયો હતો. એટલે મેં ઋષિકેશ જઈને બાવા બનવા માટે મન બનાવી લીધું હતું. મને હવે જિંદગીમાં રસ નહોતો અને કાકાએ મારા લગ્ન પણ મને પસંદ નહોતી એ છોકરી સાથે કરાવી દીધા હતા, જે મને ડિવોર્સ આપતી નહોતી. પણ મારે આ રીતે જિંદગી જીવવી નહોતી. એટલે મેં શિવાનંદજીને એમની પાસે આવવાની પરવાનગી માગી અને એમણે ‘આજા બચ્ચા’ કહીને મને સ્નેહપૂર્વક આવકાર્યો. વળી, પૈસાનો તો મને ક્યારેય મોહ નહોતો.

આ પિસ્તાળીસ વર્ષ પહેલાની વાત છે. પણ મારી બહેનને આ ખબર પડી ત્યારે તે રડવા લાગી. એ કહે, ‘ભાઈ, તમે શું કામ જાઓ છો? તમે આટલું ભણેલા છો, આટલો અનુભવ છે તો પછી તમારે સાધુ શા માટે થવું છે?’ આમ, બહેનની લાગણીને માન આપીને સાધુ બનવાની ઈચ્છા મેં માંડી વાળી. અને બહેન સાથે રહેવા માંડ્યો. હવે અહીં રહું એટલે મારે કંઈક તો કરવું પડે ને? એટલે જીવરાજાણીકાકા કરીને અમારા એક ઓળખીતા હતા, તેમને મેં કોઈ નોકરી માટેની વાત કરી. તેમણે મને કહ્યું કે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં બાર હજારની એક નોકરી છે. પણ મને એવી નોકરીમાં રસ નહોતો એટલે મેં બેંકની નોકરી માટે ના પાડી દીધી. ત્યાર પછી તેમણે મને કોરાકેન્દ્રમાં મેનેજરની છ હજારના પગારવાળી નોકરી માટે કહ્યું, મેં ત્યાં જઈને જોયું તો ત્યાં ભ્રષ્ટાચાર ખૂબ હતો. એટલે મેં એ નોકરી માટે પણ નનૈયો ભણ્યો. અંતમાં તેમણે મને કહ્યું કે એક નોકરી છે, જેમાં પગાર પેઠે માત્ર એકસો નવ્વાણું રૂપિયા મળશે. મેં પૂછ્યું કઈ? તો તેઓ કહે કે ‘જન્મભૂમિ’માં પત્રકારની નોકરી છે. એટલે મેં તેમને કહ્યું કે મને આમાં રસ છે. આમ, મેં ‘જન્મભૂમિ’માં વ્યાપારના સબએડિટર તરીકે નોકરી શરૂ કરી અને હું આ રીતે પત્રકાર બન્યો.

આ ઉંમરે પણ લખતા રહેવું એને શોખ કહેશો કે હવે લખવું એ એક જરૂરિયાત છે?

 (હવામાં તેમનો હાથ હલાવીને અસલ કાન્તિ ભટ્ટ અંદાજમાં!) હોબી બોબી કશું નહીં. હોબી વળી કેવી?  લખાય છે એટલે લખું છું અને આજે પણ પત્રકારત્વ એ મારા માટે એક ફરજ અથવા મિશન છે. મારા ઘરની સંભાળ રાખવા આવતા આ હેમા બોરિચા સવારે સાડા આઠે આવે અને બપોરે એક વાગ્યે ચાલ્યા જાય. વળી સાંજે પાંચ વાગ્યે આવે અને સાડાસાત વાગ્યે ચાલી જાય. બાકી બધા સમયમાં હું સાવ એકલો. જો લખું નહીં તો કરું શું? બીજું એ કે જે લખું છું એ બધું વંચાય છે અને લોકોના ખપમાં આવે છે. રાજકોટના દિનેશ તિલવા કરીને એક ભાઈ છે, જે મને ઘણી મદદ કરે છે. તેઓ મને નિતનવા પુસ્તકો મોકલે છે, તે બધા હું વાચું અને એમાંથી કંઈક ઉપયોગમાં આવે એમ હોય તો એના પર લેખ લખું. આજે જે હું દૈનિક કટારો લખું છું એને મેં એક ચેલેન્જ તરીકે લીધી છે. રોજ કોઈ છાપામાં નિયમિત લેખો લખવા એ કંઈ ખાવાના ખેલ નથી. પરંતુ મને આમાં મજા આવે છે, એટલે એક પણ દિવસનો ખાડો પાડ્યા વિના હું લેખો લખું છું.
અધધધ પુસ્તકોથી ઊભરાતી કાન્તિ ભટ્ટની લાઈબ્રેરીનો એક ભાગ

એવો કોઈ વિષય ખરો, જેના પર કાન્તિ ભટ્ટે લેખ લખ્યો ન હોય?

(થોડું હસીને) તમે જ મને એવો વિષય બતાવો કે જેના પર મેં નહીં લખ્યું હોય. તમે જોયું હશે કે મેં તમામ વિષયો પર લેખો લખ્યાં છે. હું ૨૦% લેખો હેલ્થ પર લખું, કેટલાક અધ્યાત્મ પર લખું. આ ઉપરાંત વિજ્ઞાન, રાજકારણ, રમતજગત, વૃક્ષો-વનસ્પતિ, ઢોર-ઢાંખર બધા જ વિષયો પર મેં લખ્યું છે. જો મારાથી કોઈ વિષય રહી જાય તો ભગવાન મને માફ નહીં કરે.

તમે લખતી વખતે કોનું ધ્યાન રાખો? વાચકોનું કે તંત્રી-અખબારના હિતોનું?

હું તો તમામ લેખકો-પત્રકારોને એમ જ કહીશ કે ક્યારેય કોઈથી ડરવું નહીં. જે સાચું હોય એ જ લખવું. પણ પછી જડભરતની જેમ એક જ વાતને વળગી રહીને સતત કોઈની નિંદા પણ નહીં કરવી. તેની સારી બાજુઓ પીછાણીને તેને પણ બિરદાવવી. હવે મને ખબર છે કે હું કોઈના વિશે છેક ઘસાતું લખું તો એ મારા તંત્રી નથી જ છાપવાના. એટલે જરૂરિયાત મુજબની ટીકા લખવાની. મેં મારા તંત્રીઓમાં એક ઈમ્પ્રેશન પાડી છે કે કાન્તિ ભટ્ટ કોઈથી પણ ડર્યા વગર લખે છે, જોકે હું એની બડાઈ પણ નથી મારતો. આજ સુધી મારા કોઈ લેખ રિજેક્ટ થયાં હોય એવું બન્યું નથી. આથી મારે આજ સુધી કોઈના હિતોની ચિંતા કરવાની જરૂર પડી નથી. જોકે મને અહીં સ્પષ્ટ કરવા દો કે મેં બીજા બધા લેખો કરતા રાજકારણ પર ઓછા લેખો લખ્યાં છે. રાજકારણની પંચાતમાં હું બહુ નથી પડતો. પણ જ્યારે હું આ વિષય પર લખું છું ત્યારે મારા માટે રાજકારણમાં જે-તે વ્યક્તિનું કદ કેવું છે એ મહત્ત્વનું નથી હોતું. મારા માટે તો વાચક જ મહત્ત્વનો છે અને તેના માટે કઈ જાણકારી મહત્ત્વની છે એનું જ હું ધ્યાન રાખું છું. તાજેતરમાં મેં લખેલા એક લેખમાં મેં રાજનાથ સિંઘના વખાણેય કર્યા. એટલે પરિસ્થિતિને યોગ્ય રીતે મૂલવીને ડર્યા વિના વખાણ અને ટીકા બંને કરવી જોઈએ.

તમારા બે વાર્તાસંગ્રહો પ્રકટ થયાં છે. આ ઉપરાંત તમે નવલકથાનું એક પ્રકરણ પણ લખ્યું. સાહિત્ય વિષયક ઓછું લખવાનું કંઈક વિશેષ કારણ?

કાન્તિ ભટ્ટનું રાઈટિંગ ટેબલ
વાર્તા કે નવલકથા લખવા કે તેના માટે વિચારવા માટે જે સમય જોઈએ, એ મારી પાસે નથી. આ ઉપરાંત હું ગુજરાતના કેટલાક વાર્તાકારોની જેમ નસીબદાર નથી કે તમે લખતા હો ત્યારે તમારી અડખેપડખે તમારી સગવડ સાચવવા માટે બે-ત્રણ લોકો હોય અને સાચું કહું તો રોજિંદા લેખનમાં અને કોલમો સાચવવામાં જે મજા છે એવી મજા બીજા કોઈમાં નથી. મને આવું લખવાથી એક પ્રેરકબળ મળે છે અને ભાઈ, વાર્તા તો ઘેર ગઈ, મને મારી આત્મકથા લખવાનીય ઘણી ઈચ્છા છે. હું અત્યંત ઘટનાપ્રચુર જીવન જીવ્યો છું, એ પણ કોઈ વાર્તાથી કમ નથી. મેં કેટલીય છોકરીઓને પ્રેમ કર્યો, કેટલીય છોકરીને ભગાવી છે. હું દુનિયાના એસી દેશોમાં ફર્યો છું. થાઈલેન્ડના વેશ્યાવાડામાં પણ ફર્યો છું. જીવનનો કોઈ પણ અનુભવ મેં બાકી રાખ્યો નથી. પણ આ બધું લખવા માટે સમય ક્યાંથી લાવું? એટલે હાલમાં તો મને એવું નથી લાગતું કે હું મારી આત્મકથા લખી શકું.

તમારી પાસે એક પબ્લિક લાઈબ્રેરી થાય એટલા બધા પુસ્તકો છે. ભવિષ્યમાં આ બધા પુસ્તકોનો વારસદાર કોણ?

પૈસાની દૃષ્ટિએ જોવા જઈએ તો મારા તમામ પુસ્તકોની કિંમત બે કરોડની આસપાસ થાય. પરંતુ મારે આમાનું કશું વેચવું નથી. મારે આ ઘરને મારી દીકરી શક્તિના નામ પરથી ‘શક્તિ જ્ઞાનમંદિર’ નામ આપવું છે. અહીં કોઈ પણ આવીને બેસી શકશે અને મનફાવે ત્યાં સુધી વાંચી શકશે. (ખડખડાટ હસીને) પરંતુ એક ખાસ ટકોર, કે અહીંથી કંઈ ઊઠાવી નહીં જતા. અનેક પુસ્તકો ઉપરાંત મારી પાસે વિશ્વના આઠ જાતના એનસાઈક્લોપીડિયા છે અને એક હજાર પુસ્તકો થાય એટલા તો મારી પાસે લેખો પડેલા છે. આ બધાનું આર્થિક મૂલ્ય ઘણું છે પરંતુ મેં આગળ કીધું એમ મને પૈસાનો જરાય મોહ નથી. બાકી તો આ હેમાબહેન મારા ઘરનું અને આ બધા પુસ્તકોનું ધ્યાન રાખશે અને મારા લેખો તેમજ રોયલ્ટીમાંથી તેમને પૈસા મળતા રહેશે.

તમે ઈશ્વરનો પણ ઈન્ટરવ્યુ કરવાનું કહેતા હતા. તો ઈશ્વરને મળશો ત્યારે તમારા પ્રશ્નો શું હશે?

હું તેમને પૂછીશ તો ખરો જ કે તમે સાચા છો કે બનાવટી? આ દુનિયા બનાવી જ છે તો માણસને દુ:ખ શું કામ આપ્યું? માણસને દુઃખી કરવામાં તમને એવી તો શું મજા આવે છે? બધાને માત્ર સુખ જ આપ્યું હોત તો? આવું કંઈક જરૂર પૂછીશ.

તમારા પર કોઈનો પ્રભાવ છે ખરો?

નો બડી. આઈ એમ માય ઓન ગુરુ. મારા ઘરમાં મોરારી બાપુનો ફોટો છે પણ તેમની આંખો હિપ્નોટિક છે એટલે મેં આ ફોટો રાખ્યો છે. મને તો ઓશો રજનીશે સામેથી કહેલું કે તું મારો ચેલો બની જા. પણ મેં તેમને ઘસીને ના પાડી દીધેલી કે હું કોઈનો ચેલો નહીં બનું. મારો ગુરુ પણ હું જ અને ચેલો પણ હું જ અને હું તો એમ પણ કહીશ કે કાન્તિ ભટ્ટથી પણ કોઈએ પ્રભાવિત થવાની જરૂર નથી.

ઈતિહાસના કોઈ ત્રણ પાત્રોને મળવાની તક મળે તો કોને મળો?
પત્રકાર તરીકેની મારી કારકિર્દીમાં હું ઘણા લોકોને મળ્યો છું અને દેશ-વિદેશમાં પણ ખૂબ ફર્યો છું. આટલા વર્ષોના બહોળા અનુભવ પછી મેં એટલું તો જોયું કે કોઈ પણ વ્યક્તિ અતિ-અસાધારણ હોતી નથી અને દરેકમાં મર્યાદા હોય છે. એટલે હવે કોઈને મળવાની ઈચ્છા નથી, પણ હા ફરજના ભાગરૂપે મળવાનું થાય તો જરૂર વિચારીશ.

આજના પત્રકારત્વમાં કંઈક ખૂંટતું જણાય છે?

આજે તો બધું જ ખૂટતું જ જણાય છે. હવે પત્રકારત્વમાં કોઈ મિશન નથી રહ્યું અને કેટલાક લોકોએ તેને ધંધો બનાવી દીધું છે. મૂલ્યો અને નીતિમત્તાનો પણ હ્રાસ થઈ રહ્યો છે. હવે પત્રકારત્વમાં ઘણી બધી મર્યાદાઓ આવી ગઈ છે. પરંતુ આટલી મર્યાદા હોવા છતાં ગુજરાતી પત્રકારત્વમાં સારું કામ થઈ રહ્યું છે અને મને એવી આશા છે કે એમાંથી પણ વળી કોઈ ‘કાન્તિ ભટ્ટ’ મળી આવશે.

હવે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે...

(વચ્ચેથી જ અટકાવીને) થોભો, થોભો... તમારો સવાલ મને ખબર છે. આજના સમયમાં અંગ્રેજી અનિવાર્ય છે. તમને અંગ્રેજીનું પાયાનું જ્ઞાન ન હોય તો પ્રાદેશિક ભાષાના પત્રકાર તરીકે ટકી રહેવું અને જાતને સાબિત કરવું મુશ્કેલ છે. લેખન અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં આવનાર તમામ યુવાનોને એટલું કહીશ કે તમારું વાચન પુષ્કળ હોવું જોઈએ. તેમાંય અંગ્રેજી પુસ્તકોનું વાચન હોય એ જરૂરી છે. અંગ્રેજી વિશે ઘસાતું બોલતા ભાષાના શિક્ષકો અને અધ્યાપકોને લપડાક મારો, કારણ કે હવે સમય એવો છે કે અંગ્રેજી વિના નહીં ચાલે. સો વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે ફ્રેન્ચ ભાષા વિના નહીં ચાલતું અને હવે એ જ સ્થિતિ અંગ્રેજી ભાષાની છે.

જીવનમાંથી શું શીખ્યાં? કાન્તિ ભટ્ટ અલગારી છે એમ કહી શકાય?

હું મારી જાતને કોઈ વિશેષ વિશેષણ આપવા માગતો નથી. હું એક સામાન્ય શિક્ષકનો દીકરો, જેને તેના કાકાએ ભણાવ્યો અને તેના સ્વાર્થ માટે વિદેશ બોલાવ્યો. ઉરૂલીકાંચન રહ્યો એ પણ કોઈના સ્વાર્થ માટે જ ગયો. મારા જીવનમાં સૌથી મોટી નિરાશા એ જ હતી કે મને મારી મરજી વિરુદ્ધ પરણાવવામાં આવ્યો. આઈ વોઝ અ લવર ઓફ બ્યુટી. હું નિર્મળ સુંદરતાનો ચાહક રહ્યો છું. જોકે મારે એ કહેવું જોઈએ કે મને મારી ગમતી છોકરી સાથે પરણાવ્યો હોત તો હું તેની સાથે સામાન્ય માણસની જેમ જિંદગી ભોગવીને ક્યારનોય મરી ચૂક્યો હોત. ■

Wednesday, September 18, 2013

બિલાડીએ નશાખોરને સફળ લેખક બનાવ્યો

 મુશ્કેલીના દરિયાની વચ્ચે માણસ ઝોલાં ખાતો હોય અને નિરાશાનું વાવાઝોડું ગમે તે ક્ષણે જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખશે તેવો ભય સતત ઝળુંબતો હોય ત્યારે કોઇ નાની અમસ્તી વાત પણ તેને ફરી બેઠા થવા માટે પ્રેરકબળ પૂરું પાડતી હોય છે. એટલે જ તો આપણે ત્યાંડૂબતાને તરણું કાફીની કહેવત અવારનવાર બોલાય છે. અહીં એવા જ એક યુવાનની વાત છે, જે જીવનના ઝંઝાવાતમાં અટવાઇ પડ્યો હતો. મુશ્કેલીઓનો સામનો કરવાના બદલે તેણે ડ્રગ્સના નશા દ્વારા પલાયનવાદી અભિગમ કેળવ્યો હતો.  જો કે ડ્રગ્સનાં કારણે તેનું જીવન વધુ ગૂંચવાયુ, મુશ્કેલીઓના કળણમાં તે વધુ ને વધુ ફસાતો ગયો. અંધકારમય જીવનમાંથી બહાર નીકળવાના તમામ પ્રયાસો એક પછી એક નિષ્ફળ થઈ રહ્યા હતા ત્યારે એક દિવસ અચાનક તેના જીવનમાં બિલાડીએ પ્રવેશ કર્યો. બિલાડીનાં આગમન બાદ તેના જીવનમાં એવું તો પરિવર્તન આવ્યું કે રખડુ અને નશાખોર યુવાન આજે બેસ્ટસેલર પુસ્તક લખતો થઈ ગયો.

વાત ખરેખર પ્રેરણાત્મક છે. તે યુવાનનું નામ છે જેમ્સ બોવેન અને તેણે જે પુસ્તક લખ્યું છે તે છેઅ સ્ટ્રીટ કેટ નેમ્ડ બોબ’! આ પુસ્તક ૨૦૧૦નાં સપ્ટેમ્બરમાં પ્રકાશિત થયું હતુ. પ્રકાશિત થયાનાં થોડા જ સમયમાં આ પુસ્તકે ઇંગ્લેન્ડમાં ભારે ધૂમ મચાવી હતી. અત્યાર સુધીમાં માત્ર યુકેમાં આ પુસ્તકની ૭,૫૦,૦૦૦ કોપી વેચાઇ ગઇ છે અને વિશ્વની ૨૭ ભાષાઓમાં તેનું ભાષાંતર થયુ છે.

અ સ્ટ્રીટ કેટ નેમ્ડ બોબપુસ્તકમાં જેમ્સ બોવેને કોઇ ફિલોસોફી ન કરતા તેની સંઘર્ષ ગાથા અને તેની બિલાડી સાથેનાં સંભારણાં રજૂ કર્યા છે.  એકદમ સરળ રીતે અને સચ્ચાઇથી કહેવાયેલી જેમ્સ બોવેનની કથા લોકોને એવી તો સ્પર્શી ગઇ કે પુસ્તક પ્રકાશિત થવાનાં થોડા જ દિવસોમાં તે પુસ્તક ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બની ગયું જેની યુરોપનાં મોટા છાપાઓ પણ નોંધ લીધા વગર ન રહી શક્યા.

જેમ્સ બોવેનની સંઘર્ષગાથાની વાત કરીએ તો તે ડિવોર્સી માતા-પિતાનું સંતાન છે. તેણે તેનું બાળપણ ઓસ્ટ્રેલિયામાં તેની મા અને સાવકા પિતા સાથે વિતાવ્યું હતું. ૧૯૯૭માં તેણે તેની સાવકી બહેન સાથે યુકેમાં સ્થળાંતર કર્યુ અને તેની તેનો કપરો કાળ શરૂ થઇ ગયો. તેનું બાળપણ પણ સારું વીત્યું હતું એમ તો નહીં જ કહી શકાય! યુકે આવતાવેંત જ જેમ્સને તેની સાવકી બહેન સાથે ઘર્ષણ શરૂ થઇ ગયેલું જે સમય જતા ધીમેધીમે વધતું જ ગયું. તરુણ જેમ્સ સાથે તેની સાવકી બહેન ઉદ્ધત વર્તન કરતી અને ન તો યોગ્ય ખોરાક આપતી કે ન પૂરતું પહેરવા-ઓઢવાનુ. શિયાળામાં હાડ થીજાવી દેતી ઠંડીમાં જેમ્સ યોગ્ય ગરમ કપડાંને અભાવે કાતિલ ઠંડી સહન કરીને પડ્યો રહેતો.

પોતાનાં ત્રાસભર્યા જીવનથી કંટાળીને જેમ્સ ડ્રગ્સનાં રવાડે ચઢી ગયો અને ઘરથી દૂર ભાગીને તે રેઢિયાળ જીવન જીવવા માંડ્યો. આમ લગભગ દસ વર્ષ સુધી જેમ્સ યુકેમાં રખડુ જીવન જીવ્યો અને ઘરવિહોણા લોકો માટે કામ કરતી સંસ્થાઓનાં સહારે જેવોતેવો ખોરાક મેળવીને તેણે દિવસો કાઢ્યાં. પણ અપૂરતા ખોરાક અને હેરોઇનના સેવનથી તેનું શરીર લથડી પડ્યું અને તે માંદગીમાં સપડાયો. તેની લથડેલી તબીયતને ઠેકાણે લાવવા માટે તેનું ડ્રગ્સ છોડવુ ઘણું મહત્ત્વનું હતું આથી તેની સારવાર શરૂ થઇ. આ દરમિયાન એક દિવસ તેનાં ઘરની બહાર એક બિલાડી આવીને બેઠી. જેમ્સની તેની ઉપર નજર તો ગઇ પણ એ વખતે તેણે બહુ ધ્યાન ન આપ્યું. પણ જેમ્સે એ નોંધ્યુ કે પેલી બિલાડી સતત ત્રણ દિવસથી ત્યાં જ બેઠી છે આથી ઉત્સુકતાવશ જેમ્સ તે બિલાડી પાસે ગયો. ત્યારે તેને માલૂમ પડ્યું કે બિલાડીનાં પગમાં ઇજાઓ થઇ છે.

જેમ્સને તો જાણે બિલાડીનાં રૂપમાં સમદુખીયું મળી ગયું! તેણે બિલાડીની ઇજાઓની દવા કરવા માંડી અને બિલાડીને પોતાની સાથે રાખી લીધી અને તેનેબોબનામ આપ્યુ. સામાન્ય રીતે બિલાડીઓને મનસ્વી પ્રાણી કહેવામાં આવે છે પરંતુ બોબ અન્ય બિલાડીઓથી સાવ જુદી નીકળી. બોબ તો સતત જેમ્સની સાથે રહેવા માંડી અને જેમ્સ જ્યાં જાય ત્યાં તેની સાથે ને સાથે ફરવા માંડી. આમ બિલાડીનાં સહવાસથી જેમ્સની એકલતા ભાંગી અને એકલપંડે જીવનયાત્રા કરતા જેમ્સને ટકી જવા માટેનું સબળ કારણ મળ્યું. સતત બોબ સાથે રહેવાને કારણે ધીમે ધીમે જેમ્સનું ડ્રગ્સનું સેવન બંધ થયુ અને તેની ગાડી ધીરે ધીરે પાટે ચઢવા માંડી. હવે તે બેકાર બનીને શહેરમાં રખડુની જેમ રખડતો ન હતો બલ્કે અખબાર વેચવા જેવી નાની મોટી નોકરીઓ કરીને પેટીયું રળતો થયો. આ બધા માટે જેમ્સનું માનવું એમ છે કે તેનાં જીવનમાં બોબનો પ્રવેશ થયા પછી જ તેને જીવન સુંદર અને જીવવા જેવું લાગ્યુ. તેની આ કથામાં એક લિટરરી એજન્ટને રસ પડ્યો એટલે તેણે જેમ્સને એક સહાયક લેખકની મદદ આપીને તેની પાસે એક પુસ્તક લખાવડાવ્યું અને તે પુસ્તક એટલે અ સ્ટ્રીટ કેટ નેમ્ડ બોબ’!

આ પુસ્તકમાં કોઇ મોટા મોટા ઉપદેશો અથવા ફિલોસોફી કરવામાં નથી આવી. તેમાં માત્ર જેમ્સનું બોબ આવ્યા પહેલાનું અને પછીનું તદ્દ્ન સરળ શૈલીમાં રજૂ કરવામાં આવ્યુ છે. પરંતુ સામાન્ય લોકોને જેમ્સની કથા પોતીકી લાગી જેથી તેનું પુસ્તક યુરોપ સહિત વિશ્વ આખામાં ભારે વખણાયું અને ઇન્ટરનેશલ બેસ્ટ સેલર નીવડ્યું.



Saturday, August 13, 2011

અટકળ


 રાત પડે અને વિચારો એનો ભરડો લે,અજગરની જેમ એને ભીંસમાં લે.અલાઊદિનનાં જાદુઇ ચિરાગ માંથી ધુમાડો નિકળે અને પછી જીન નિકળે એમ એક પછી એક વિચારો એનાં મનમાં ઉદભવે!!વાત એકજ પણ વિચારો અનેક!આખરે શું બીના બની હશે?અને સાચી વાત શું?અમસ્તોજ કોઇનો પગ લપસી જાય?અને પચાસ-સાઠ લોકોમાં માત્ર એની સાથેજ આવુ થાય?
   મારે એનાં રુમની સરખી તપાસ કરાવવી જોઇતી હતી.કદાચ કોઇ સ્યુસાઈડનોટ લખી હોય અને ટેબલનાં ડ્રોઅરમાં કે કોઇ પુસ્તકમાં એ કાગળ મૂકયું હોય? પણ ત્યારે એવું વિચારવાની મારી કોઇ હાલત હતીજ કયાં?જુવાન જોધ દિકરી મૃત્યુ પામે તો એનાં મા-બાપ કંઇ હોશ-હવાસમાં હોય???કે દિકરીનું શબ પડ્યું હોય અને મા-બાપ તપાસની માથાઝીંકમાં પડે?? હવે તો ધણુ મોડુ થઇ ગયું.હવે તો એની રુમમાં એની જગ્યાએ કોઇક બીજી એના જેવીજ છોકરી આવી ગઇ હશે.
   થોડા વિચારો બાદ એનુ મન ફરી બીજી દિશામાં ફંટાઇ જાય અને બીજા તર્કોમાં પડે.એનું ખૂનતો થયુ નહિ હોય ને?કોઇએ પાછળથી ધક્કો મારી દિધો હશે અને આખી વાતને અકસ્માતમાં ખપાવી દિધી હશે.કોઇએ વેર વાળ્યું હશે આગળ પાછળનું.આમેય છોકરી પણ બહુ આઝાદ પહેલેથી,નાનપણથી બરખા દત્ત જેવી જર્નાલિસ્ટ થવાનાં સપના જોતી.સ્ત્રી શોષણ અને સ્ત્રી સશકિતકરણ જ વાતો હર હંમેશ, અને એટલેજ ઊપરવટ થઇને ગઇ જર્નાલિઝમ કરવાં.કયાંક કંઇ કાળુ-ધોળુ ભાળ્યું હશે અને એને ઊઘાડુ પાડવાની ચાનક ચડી હશે જેમાં એનું કોઇએ ઢીમ ઢાળી દિધું.રાક્ષસોને તો બધુ પરવડે,એમાં એક મુઠ્ઠીભર હાડકાની છોકરીને પતાવવાની એટલેતો ડાબા હાથનો ખેલ!
   ના પાડી હતી મે પરેશને.એકની એક દિકરી છે,આટલે દુર નથી મોકલવી.આમેય એનો સ્વભાવ ઊગ્ર,રસ્તામાં કોઇ માણસ કુતરાને ફટકારે તો એની સાથે લડવા બેસે એવી.વેચાતી બબાલ માથે લેવાની એને ટેવ.એમાં આટલે દુર મોકલાય? ગ્રેજ્યુએટતો થઇ,હજુ કેટલુ ભણાવવાની?ક્યાંય નથી મોકલવી છાતી ઊપરજ રાખવી છે.
    ...પણ મારી વાતમાં સમજે એ બીજા;આ બાપ-દિકરી નહિ!લઇ આવ્યાં એડમિશન અને પોટલાં બાંધીને નિક્ળ્યાં બરખા દત્ત બનવાં...
   આપઘાત કર્યો હશે એણે??પણ એ કંઇ એવી પોકળ ન હતી કે સામે ચાલીને મોતને શરણે જાય.નિડર હતી મારી દિકરી!સમસ્યાની સામે લડત આપીને એનાં તળીયાં સુધી એ પહોંચતી.એમ અડધે રસ્તે નમતુ ના જોખે.પણ કદાચ આપઘાત કર્યોય હોય તો?છોકરી આમ હતી સાવ અલ્લડ પણ આમ ખુબ સંવેદનશીલ.કંઇક એવુ બન્યુય હોય જે જીરવી ન શકી હોય.પણ એવી કઇ વાત હોઇ શકે જે આવી નિડર છોકરીને આપઘાત કરવા પ્રેરે??
    ક્યાંક કોઇ લફડુ?પ્રેમભંગ કે જુવાનીનાં જોશમાં લેવાય ગયેલુ કોઇ આડુ-અવળું પગલુ?? છીં છીં મારુ સંતાન આવુ તો નજ કરે.મારા એવા સંસ્કારજ નહિને!અને કદાચ એવુ કંઇ થયુ પણ હોય તો એતો સાવ ખુલ્લી બાજી રમનારી છોકરી!ઢાંક પીછોળા એને આવડેજ નહિ.અને આવી કોઇ બાબત તો એને મન કોઇ નજીવી વાત,એમાં કંઇ એ મોત વહાલું કરે નહિ.
   એનાં મરવાનાં બે દિવસ અગાઊજ એનો ફોન આવેલો.ત્યારે એમની વચ્ચે થએલી વાત એણે ફરી એનાં મગજમાં દોહરાવી જોઇ.ક્યાંક કોઇ કારણ મળે???
   'ડેડા મારુ નેશનલ ન્યુઝચેનલમાં પ્લેસમેંટ થઇ ગયુ છેએએએ....'ત્યારે એ પરેશની બાજુમાંજ બેઠેલી.અને દિકરી ખુબ ખુશ જંણાતી હતી.
   'એમ??!!કોંગો...કોંગો...આખરે તારી જીત થઇ,તે કરી બતાવ્યું.મારી દિકરી હવે રિપોર્ટિગ કરશે અને એ પણ નેશનલ ન્યુઝચેનલ ઊપર......વાહ..વાહ..આનંદો.' બંન્ને બાપ-દિકરી ઊછાળા મારતા હતાં.એને પણ ખુશી થઇ.
   'યાહ ડેડા..'
   'બેટા એક વાર બોલી બતાવને.. જો તારે રિપોર્ટ કરવાનો હોય તો તુ કેવી રીતે કરે??'
   "આજ ફિર દહેજકી આડ મેં એક યુવતીકો જલાયા ગયા..આખીર ક્યું? સરકાર ઇસ દિશામેં કોઇ ઠોસ કદંબ ક્યુ નહિ ઊઠા રહિ?? ક્યાં સભી કાયદે પન્નો પરહિ રહેગેં? આખીર કબ-તક ચલેગા યે સબ?ઓર કિતની ઓર જાને જાયેગી યે દહેજકિ આગમેં દેખનાં રહા..ગુજરાતસે નંદિની પરેશ ભટ્ટ કીં રિપોર્ટ."
   'અરે વાહ મેરી જાન વાહ..કહેવા પડે જા..લે વાત કર તારી ભવા સાથે.' અને પરેશે એને ફોન આપેલો. એની દિકરી એને ભવા કહેતી.નાની હતી ત્યારે પરેશ એને ભાવના કહેતો તે સાંભળતી અને એનુ સાંભળી સાંભળીને એંણે એનુ ભવા કરી નાંખેલુ.
   'હેય ભવા,મજામાં?'
   'એકદમ મજામં.. તારુ કેમ?'
   'હુ તો એકદમ ખુશ ભવા... આખરે હુ સફળ થઇ'
   'હા બેટા,એને માટે તને ખુબ-ખુબ અભિનંદન.અને સાથો સાથ મંગલ ભવિષ્યની શુભકામનાંઓ.'
   'થેંક્યુ ભવા.અને હા સાંભળ પરમ દિવસે અમે કોલેજમાંથી ટુરમાં જઇએ છીએ,માઊન્ટઆબુ જઇએ છીએ અમે બધા.હવે કોલેજની આ લાસ્ટ ટુર પછી પરિક્ષાઓ હશે અને પછી કોણ કયાં હોય એનો કોઇ પત્તો નહિ,એટલે પરિક્ષા પહેલાંજ જવાનુ નક્કિ કર્યુ.અને પછી રિડિંગ વેકેશન છે એટલે ત્યાંથી સીધી ઘરેજ આવીશ.'
   'હા વાંધો નહિ... અને સાંભળ, તું..'
   'અરે ભવા આપણે પછી વાત કરીશું,મારે થોડું કામ છે.હુ તને પછી ફોન કરું,પ્લીઝ બાય...' અને લાઇન કટ.
   અરે!ખરી છે આ છોકરી તો!વાવાઝોડુ જેવું આવે અને ઘડિમાં નિકળી જાય.મારી વાત પણ આખી ન સાંભળી.એવુ એ ત્યારે બબડેલી.
   ....તો એની વાત ઊપરથી તો એવુ કશું જણાતું ન હતું કે એ જરાય દુખી હોય કે વિચલીત હોય.એ તો હંમેશની જેમજ હતી,તાજગી અને તરવરાટથી ભરેલી છલોછલ!માણસ જો કોઇ આપત્તિમાં હોય તો એનાં અવાજમાં થોડી નરમાશ હોય.પણ એની વાતોમાં તો એવુ કંઇજ જણાતું ન હતુ.તો આપઘાતનું તો એવુ કોઇ કારણ જણાતુ નથી.
   અને બે દિવસ પછીતો પરેશ ઊપર એની કોલેજમાંથી ફોન આવેલો કે તમારી દિકરીનું ભેખડ ઊપરથી પગ લપસી જવાને કારણે મોત થયુ છે.અને અમે તાબતોડ પહોચેંલાં.
   તો આખરે સાચુ શું??? અકસ્માત-આપઘાત કે ખુન??? જાણવુ તો જોઇતુજ હતું.પૈસો નાંખતે તો માલુમ પડતે.તપાસ સરખી કરાવવી જોઇતી હતી, પણ પરેશે ઢીલ છોડેલી.
   -હવે શું ભાવના?? દિકરી તો ગઇ જ ને??? તપાસ કરાવવાથી આવશે પા્છી?

   અને પછી વાત પર પડદો પડી ગયેલો.
   પણ સાલુ આખરે બનેલુ શું?? ફરી એજ વિચાર!એ થોડી સળવળી;પથારીમાં પડખુ ફેરવ્યું.આંખોને સજ્જડ બંધ કરી અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો.પણ પેલો "આખરે બનેલુ શું?" નો વિચાર એનો પીછો છોડતો ન હતો.
   એ પથારી માંથી ઊભી થઇ,ડ્રોઇંગરુમ માંથી ટીવીનો ઝાંખો પ્રકાશ આવતો હતો.પરેશ બીજા દિવસની સવાર મોડી થાય એટલા માટે મોડે સુધી ટીવી જોતો.એણે લાઇટ ઓન કરી અને કબાટમાંથી એક ગોળી કાઢી અને પાણી સાથે ગળે ઊતારી.ફરી લાઇટ ઓફ કરીને પથારીમાં પડી અને અને એનાં વિચારોને આવતી કાલ સુધી આરામ આપ્યો.

 
 

Saturday, March 5, 2011

પાંચ હાઇકુઃ થીમ-"બા"


બા આખેઆખો
પરીઓની વાર્તાનો
ખજાનો જાણે



ડુમો બાઝે જો
ગળે તો સરી પડે
બા આંખ માંથી



સાંભળુ હજુ
હાલરડું ક્યારેક
બાનું ઊંઘમાં


રાહ બનીને
ડોકાતી બા ક્યારેક
મારી આંખમાં


મૃત્યુ પામી બા
બાળપણનો મારા
સુર્યાસ્ત થયો
        

Friday, March 4, 2011

છોકરો ઝુલે હિંચકે

છોકરો ઝુલે હિંચકે અને મનમાં
           એક છોકરી ઝોલા ખાય,
મૂછનેતો ફૂટ્યાં હજુ બે-ચાર ત્યાં
         જવાનીનો ઉત્સવ ઊજવાય!
જુલમ કરી મન પરોવે ચોપડીમાં
         પણ જીવ છોકરીમાં અટવાય.
માળા એ જપે રોજ એનાં નામની
        ને એના નામનાજ કિર્તન થાય.
કરે એ કલ્પનાંઓ જાત-જાતની,
        મનમાં રોજ નવુ નાટક ભજવાય.
આસ્થા બંધાઇ એને તો કૄષ્નમાં
        રાધા મિલનની માનતા મનાય.
ર.પાની એ વાંચે રોજ કવિતા
        અને મનમાં ને મનમાં હરખાય.

Monday, February 7, 2011

બે અછાંદસો


પાણીપૂરીની લારી ઉપર
કોઇક ભિક્ષુક
એમજ
ખાવાનાની માંગણી કરે
જેમ
આપણે ઇશ્વર પાસે
સુખ-સ્વાસ્થય અને શાંતિ માંગીએ
પણ
આપણુ માંગેલુ એ પ્રાર્થના કહેવાય
અને
એનું માંગેલુ
ભીખ???!!!

*************



લગનનાં વરઘોડામાં
માથે
ઝુમ્મર લઇ ફરતી ઓરત
રાત્રે
વરઘોડો પુરો થયે
ઘેર આવી
ત્યારે
એનુ બાળક
સાંજે બાપનો માર ખાઇને રડીને
ભુખ્યાં પેટે
અંધારામાં
ઢુંઢીયું વાળીને સૂતુ હતું.......


Wednesday, January 26, 2011

જરા યાદ ઉંન્હેભી કરલો......




       આજથી એક દાયકા અગાઉ ૨૬ જન્યુઆરી ૨૦૦૧નાં રોજ એક તરફ સમગ્ર દેશમાં અને રાજ્યમાં પ્રજાસતાકદિન ઊજવાય રહ્યો હતો અને એક તરફ સવારે ૮-૪૬ કલાકે ગુજરાતની અને એમાંય કચ્છની ધરણી ૭.૬થી૮.૧ની તીવ્રતાથી ધણધણી હતી.જેનુ એપી સેંન્ટર ભચાઉથી ૧૬ કીમિ દુર આવેલાં ચોબારી પાસે હતું.હજુ લોકો શું થાય છે?અને શું થઇ રહયું છે એની ગણતરી માંડે છે ત્યાંતો સેંકડો મકાનો પત્તાંના મહેલની જેન જમીનદોસ્ત થયાં અને હજારો લોકો કાળનો કોળીયો બની ગયાં.
     ગણતરીની મિનીટોમાં દેશનું અને વિશ્વનું ધ્યાન કચ્છ ઊપર કેન્દ્રિત થયું.લોકો તાગ પામી ગયા હતાં કે આ નૂકશાની કોઇ જેવી-તેવી ન હતી.ભૂકંપની બીજીજ ક્ષણથી વીજળીનો પરવઠો અને સંદેશાવ્યવહાર ઠપ્પ થઈ ગયો અને આપણી જ્યાં નજર પડે ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર રણ કે પાણી નહિ પણ કાટમાળ અને લાશોના ઢગલાં દેખાવા માંડ્યા હતાં.કાળે માણસની સણસણતી થપાટ મારી હતી.જ્યાં જુઓ ત્યાં વિશાળકાય મકાનોનાં અને ચગદાઇને રટલો બની ગયેલી માનવલાશો જ દેખાય.કોઇએ પોતાનું મકાન ખોયુ તો કોઇએ પોતાની મા તો કોઇએ શાળામાં ધ્વજવંદન કરવા ગયેલી પોતાની વહાલસોઇ દિકરી ખોઈ હતી.અને જે જીવી ગયા હતા એ જાણે મરવાનાં વાંકે જિવતા હતાં!
     જોતજોતામાં માણસની જાત સાવ લાચાર અને નિઃસહાય બની ગઇ હતી.આખરે કુદરત આગળ આપણું ચાલે પણ શું?સમગ્ર દેશમાંથી અને વિશ્વમાંથી રાહતો આવી,ધાબળા-કામળા-કપડાં-અનાજ-દવા વગેરેની ટ્રેનોની ટ્રેનો અને વીમાનો કચ્છ ઉતરી પડ્યાં.થોડાજ કલાકો પહેલાં જે માણાસ લક્ષાધીપતી હતો એ ખોરાક માટે લાઈનમાં ઉભો હતો.રહત કાર્યો પુરજોશમાં શરુ થયાં અને મેદાનો છાવણીમાં પલટાયાં અને કેંમ્પો શરુ થયાં અને સરકારે અને લોકોએ કચ્છને બેઠું કરવામાટે કમ્મર કસી.
     લોકોને હવે ધીરે-ધીરે સમજાવા માંડ્યુ હતુ કે આ રડવાનો નહિ પરંતુ લડવાનો વખત છે.શૂન્યમાંથી સર્જન કરવાની પ્રક્રિયામા માણસ મને કે કમને જોતરાય ગયો હતો.ઉધ્યોગો,રોકાણકારો સરકારની મદદ અને કચ્છીમાંડુંઓની કુનેહને કારણે કચ્છ ફરી ઉભુ થયું.રુઆબભેર!!અને એનાંજ પરીણામે આજે કચ્છમાં પોતાની યુનિવર્સિટી, નવી અનેક કોલેજો,બ્રોડ્ગેજ ટ્રેનો, સારા રસ્તાઓ,નવીનતમ બંદરો અને એરર્પોર્ટ છે.એક દાયકામાં એણે હરણફાળ ગતી કરી અને વિશ્વની આગળ ગુજરાતીઓની કુશળતા અને ખમીરીનો એક દાખલો કાયમ કરી દિધો.આમેય માણસની જાતને પીપળાનાં ઝાડની જેમ રહિરહિને મૂળિયાં જમીનમાં ખોસવાની અને વિકસવાની આદત છે.

શ્રધ્ધાંજલી:

આગલી રાત્રે જેમને સપને પણ ખ્યાલ ન હતો કે આવતી કાલે અમારુ કમોત થવાનું છે એવાં મૄતકોને..................


Wednesday, July 21, 2010

નવી રચના...

આમ અણધાર્યુ આપણું મળવું થયું,


પછી રડવું થયું અને કક્ળવું થયું.

નો'તી ખબર તમે પણ રહો આ શહેરમાં,

કાગનું બેસવું થયું અને તાડનું પડવું થયું.

યાદો ધુમાળો થઈ પ્રસરી અવકાશમાં,

આંખોનું મળવું થયું,જીવનું બળવું થયું.

ફાટેલાં પાના ફરી ફર-ફર્યા જિંદગીનાં,

એક પોટલું છૂટયું અને પડિકુ થયું.

સંકોરી લેવો ભૂતકાળ કાચબાની જેમ,

ફરી કદી ન મળવું એમ નક્કી થયું.

Saturday, April 3, 2010

માસિક શ્રધ્ધાંજલી

બા,આજે તને ગયાંને મહિનો થયો.
હવે તું સૌનાં દિલો-દિમાગ માંથી નિકળી ગઈ!
જેનાં ચ્હેરા ઊપર હંમેશા-
હાસ્ય વિસામો કરતું
એવી તું હવે એક મહિનાથી
હસતે મોઢે દિવાલ ઊપર લટકે છે!!
આમેય તે અમારા માટે
બધું હસતે મોઢેજ વેંઠયું હતુંને!
જોકે મને હજુય સપનાંમાં
તારુ બોખુ મોઢું દેખાય છે.
અને રાત્રે સેકન્ડશીપ માંથી આવુ ત્યારે
"ભાઇ આવી ગયો...?"
એમ પણ સંભળાય છે.
બે'ક દિવસ પહેલાં તારી જણસની
વ્હેચણી અંગેની મિટિંગ હતી.
તારી બધી જણસ મારા ભાગે આવી બા!
કોઇએ કંઇ ન લીધું.
ન ભાઇઓએ કે ન બહેનોએ.
બધાં કહે છે "અમને કંઇજ જરૂર નથી-
અમે સધ્ધર છીએ,તું રાખ આ બધું.
તને કામ આવશે."
બા,આજે મને મારી ગરીબીનો ગર્વ થયો.
તું ભલે સદેહે નથી,પણ યાદ રૂપે તો
મારી પાસે રહી!!
એય આખે-આખી,ભાગ વગરની.
તારી યાદોનું હું અંત સુધી જતન કરીશ.
તારી જેમજ....

Friday, March 26, 2010

"સબંધતો કાચનાં વાસણ જેવો હોય"
એમ કહેવાય છે.
પણ મને એ હંમેશા બોમ્બ જેવો લાગ્યો.
અદલ આતંકીઓ યુઝ કરે એવોજ.
જે સચવાયેલો હોય ત્યાં સુધી
કોઇજ હરકત નહી,
પણ જ્યારે ફુટે ત્યારે એ એનું પોત પ્રકાશે.
લીરે-લીરાં ઉડાવીદે આપણા.
આંખે અંધારા આવે,
અને બુધ્ધિ બહેર મારી જાય છે.
શું કરવું?ક્યાં જવું?કોની પાસે જવું?
કંઇજ ગમ ન પડે
એ સમયે.
આપણું રડવું-કકળવું-બાખળવું
એ પણ ચાલે સાથે-સાથે
ક્યાં ભુલ થઈ?ક્યાં કચાશ રહી?વગેરે
ગણતરીઓ મંડાય.
મારો કોઈજ વાંક ન હતો,એવુંય નિદાન થાય.
પણ અંતે મનમાં એક ડાઘો રહે છે,કોઢ જેવો.
કોઢ જેવો-છેવટ સુધી.
જેનો કોઈજ ઊપચાર નથી હોતો..

Saturday, February 13, 2010

હવે કદાચ વાઘ નહિ આવે...

આપણી એક પ્રચલિત બાળવાર્તા છે,જેમાં એક ભરવાડ એનાં બકરાંને ચરાવવા રોજ સીમમાં જાય.ભરવાડનો સ્વભાવ થોડો રાખી સાવંત જેવો હશે એટલે એને ટિખળ સૂઝે અને સ્વયંવરની જેમ એ પણ અમસ્તીજ બૂમો પાડે કે "વાઘ આવ્યો.... વાઘ આવ્યો..." ભરવાડની બૂમો સાંભળી ગામલોકો વાઘને મારવા આવી પહોંચે છે,પણ વાસ્તવમાં ત્યાં વાઘ આવેલો ન હતો.બીજી વખત પણ ભરવાડભાઈએ એવુંજ કર્યુ અને ગામલોકોને અમસ્તાંજ દોડાવ્યાં.



પછી એક વાર એવું બને છે કે ભરવાડભાઈ એમનાં નિત્યક્ર્મ મુજબ બકરાં લઇને નિકળે છે અને ત્યાં એને સાચેજ સક્ષાત વાઘનાં દર્શન થાય છે,ભરવાડભાઈ વાઘને જોઈ ફરી બૂમો પાડે છે પણ ભરવાડભાઈનાં પાછલા રેકોર્ડને કારણે આ વખતે લોકો આવતા નથી.... પછી...???પછી શું???પછી ભરવાભાઈ બૂમો પાડતાજ રહી જાય છે અને વાઘ એકાદ બકરીનો હળવો નાસ્તો કરીને પોતાના રસ્તે પડે છે.


ઊપરની વાર્તામાં ત્રીજી વખત વાઘ આવે છે,પરંતુ હવેનાં અનુંસંધાનમાં જોઈએ તો કદાચ વાઘ આવવાનાં ચાન્સ ઓછા છે.કરણકે વાઘ હવે રહ્યાં જ છે કેટલાં??? "૧૪૧૧...." સાવ નજીવી સંખ્યા...!!હવે થોડાં વર્ષો પછી કદાચ ભરવાડ બૂમો પાડે તો લોકો ઉત્સુકતાથી બધા કામો પડતા મુકીને દોડતા આવશે કે "ચાલો જોઇએ તો ખરાં વાઘ કેવો હોય!!"


કેટલી શરમજનક વાત છે,દેશની એક અબજ વસ્તીમાં માત્ર ૧૪૧૧ વાઘ?વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરીને છટકી ગયાં,બસ વાર્તા પૂરી.વાઘની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો કેમ થાય?વાઘનાં મરવાં પાછળનાં કારણો કયાં?કંઇજ દરકાર નથી રાખી આપણે...વાઘની ઘટતી સંખ્યા પાછળ સ્વાઈનફ્લૂ કે એઈડ્સ તો જવાબદાર ન જ હોય ને??


તો વાઘ ગયાં કયાં?અને કોણ છે જવબદાર એની પાછળ?અને શું એ જવાબદારો પાછળ કોઇ નક્ક્ર્ર પગલાં ભરાય છે?ઘણાં સવાલો ઊઠે છે,પણ એકનોય જવાબ નથી.સરકાર "સેવ ટાઈગર" ની ઝુંબેશ ચાલાવે છે,પણ નથી તો એ વાઘનાં ખરાં દુશ્મનોને ઝબ્બે કરતી કે તેમને પકડવાનાં પ્રયાસો કરતી...


ખેર,સરકાર કહે છે કે બ્લોગ અને એસએમએસ વડે વાઘની આ કફોડી હાલત વિશેનો પ્રચાર-પ્રસાર કરો અને લોકોમાં જાગ્રુતિ આણો,એટલે સરકારે કહ્યું અને મને યોગ્ય લાગ્યું એટલે મેં બ્લોગ પર કહ્યું,આ તો ખો-ખો ની રમત જેવું છે.હુ તમને ખો આપું છું,તમે કોને આપશો???બોલો આથી વિશેષ આપણે કંઈ કરી શકીશું???

Wednesday, February 10, 2010

વ્હાલી રાધા,


તું કુશળજ હશે.........

આજે તને "કાગળ" લખવાનું મન થયું... હમણાં તારી યાદ બહું આવે છે,એક તો વસંત મ્હોરી છે ને બીજી તરફ "વેલેન્ટાઇન ડે" નજીક છે.. પછી તું જ કહે આવી મોસમમાં તું યાદ ન આવે તો કોણ યાદ આવે???

જોકે રાધા તું તો મને દરેક મોસમમાં જ યાદ આવે,ક્યારેક એકાદ વરસાદનું ઝાપટું આવે કે તું મને વરસાદ થઈ ભિંજવે,ને શિયાળામાં રોજ તું સાંજ બનીને મને પજવે.એટલે તારા ભુલાવાનો તો કોઇ સવાલ જ નથી..

છતાં હમણાં તું કંઈક વિશેષ યાદ આવે છે,અને આમેય તારી યાદ સિવાય મારી પાસે બીજું છે પણ શું???તૂં પ્રત્યક્ષ તો નથી જ ને!!ક્યારેક થાય છે આ તે કેવો પ્રેમ??જેમાં પ્રત્યક્ષ મળવાનું હોતું જ નથી.....!!!માત્ર વિરહજ??? હશે,કદાચ પ્રેમ એનેજ કહેવાતો હશે..

પણ રાધા,આપણાથી નથી મળાતું એ જ સારું પણ છે.કારણકે આ દેશમાં તો પ્રેમીઓ ને હડધૂત કરાય છે.. અરે ખુલ્લેઆમ પિટવામાં આવે છે પ્રેમીઓ ને અહીં....તારે જોવું હોય તો જોઈ લેજે "વેલેન્ટાઇન ડે" ના દિવસે,પ્રાણીઓ ની જેમ માર મારવામાં આવશે એમને...અહિં બધા ધર્મનાં ઊપાસકો ને રક્ષકો ઘણાં છે..એટલે એમની સંસ્ક્રુતીની રક્ષા કરવાંમાટે રસતાઓ પર ઘણાં સ્વયંસેવકો ઉતરી આવશે..

તો બીજુંતો શું કહું???તને યાદ કરીને તને પત્ર લખવાં ગયો ત્યાં બીજુંય ઘણું યાદ આવી ગયું ને મન ખાટું થઈ ગયું..જવાદે હવે તને નથી લખવું....કદાચ હજુ કંઈ લખવાં જઈશ ત્યાં બીજું જ લખાશે....

તારો જ વ્હાલો,

રાધાવિનાંનો....

Sunday, January 24, 2010

આખરી સલામ.............

તમારા માટે વધું કહેવાની મારી હેસીયત નથી.............


ભગવાન તમારા આત્માને શાંતિ અર્પે.....

Sunday, January 10, 2010

વ્હાલમ, હવે ન એવુ ચાલે

વ્હાલમ, હવે ન એવુ ચાલે,
વ્હાલમ,તું રોજ મને સતાવે.

ક્યારેક તું અમસ્તો આવી પ્રેમ વરસાવે,

ને ક્યારેક છપ્પનિયો બની તું તરસાવે.

વ્હાલમ,તું રોજ મને સતાવે,

વ્હાલમ, હવે ન એવુ ચાલે.

હવે બારમાસી ફુલ બની ફુટ મારામાં,

-તારી મોસમની રાહ જોવી ન ફાવે.

વ્હાલમ, હવે ન એવુ ચાલે,

વ્હાલમ,તું રોજ મને સતાવે.

Monday, January 4, 2010

અહીં ટાઢ પણ લાગશે,તાપ પણ લાગશે


આ સબંધ છે,અહીં ઊકળાટ પણ લાગશે.

એ પ્રેમ પણ માંગશેઅને હૂંફ પણ માંગશે,

અરે! આ સબંધ છે એ પ્રુફ પણ માંગશે.

એને સહકાર પણ જોઇશે,સાથ પણ જોઇશે

આ સબંધ છે એને હિસાબ પણ જોઇશે.

અહીં અપેક્ષા પણ હશે, આશા પણ હશે,

અરે!આ સબંધ છે અહીં હતાશા પણ હશે.

Friday, November 13, 2009

સંબધ તારો-મારો

સંબધ તારો-મારો


સુકાયેલી નદી જેવો

સાવ શુષ્ક

ન કોઇ તરંગ કે આંદોલન

કે ન ભીનાસ,

માત્ર સુકો પથરાળ

ખરબચળો પ્રદેશ-

જ્યાં નથીતો લાગણીઓનાં

ઘોડાપુર આવતાં

કે નથી પ્રેમની ગહેરાઇ

અહીંતો કિનારા જ નથી.....

પછી મિલન ની ઝંખના કયાંથી???

ન ખળખળ વહેવાની ખેવના

ન સાગરમાં જઈ

ભળવાની ઊત્સુકતા-

શુષ્ક્તા,માત્ર ને માત્ર શુષ્ક્તા,

બીજુ કંઇજ નહી.

સુકાયેલી નદી જેવો

સંબધ તારો-મારો.

Thursday, November 5, 2009

બરફની જેમ


થીજી ગયેલી

લાગણીઓ જ્યારે

અચાનક પીગળે

અને પછી

આંખોમાંથી

આંસુ બની ટપકે

ત્યારે હ્ર્દયની જે

હળવાસ હોય એ

તે અનુભવી છે????

તું ક્યારેય રડી છે?

Tuesday, October 27, 2009

જે કંઇ થવાનું હતું એ થઇ ગયું,


બાકી સઘળું યાદ રૂપે રહિ ગયું.

લલાટે જે લખ્યું હોય એજ થાય,

બન્યુ છે??નસીબ કોઇ લઇ ગયું?

નસીબતો આમેય અતડુજ રહે છે

દુઃખ ક્યાં કોઇને ત્યાં કાયમ રહ્યુ?

આ તો નાટક છે ને તું એનું પાત્ર,

તટસ્થ પણે ભજવ કાનમાં કોઇ કહિ ગયું.

Saturday, May 16, 2009

શબ્દો અને સાહિત્યકાર નો કોઇ પ્રક્રાર નથિ હોતો.......... કે ન તો શબ્દો અને સાહિત્યકાર ને કોઇ જાત હોય...... પ્રકાર સાહિત્યનો હોય છે...... શબ્દો અને સાહિત્યકારનુ કામ છે પ્રગટ થવાનું....... સ્પષટ પણે પ્રગટ થવાનું...... પછી ભલે એ કાવ્ય રૂપે હો કે પછી ગઝલ,વારતા કે નવલક્થા રૂપે હોય......... શબ્દોનું બીજુ નામ છે વરસવુ........ શબ્દો મને હમેંશા વરસતા લગ્યા છે....... ક્યરેક એ મોંઢામાં ગોળનો ટુકડો લઇ ને વરસે છે.......... તો ક્યરેક અસિડ વર્ષા થાય છે.......... શબ્દો પ્રેમ છે..... તો શબ્દો ધિક્કાર પણ છે........ શબ્દોને કોઇ સિમા નથી હોતી........ સિમા શબ્દ બોલનાર ને હોય છે........ શબ્દો અજર છે.......શબ્દો અમર છે....... શબ્દો અનાદિકાળથી ચાલતા આવ્યા છે.......... શબ્દો પ્રુથ્વીના અંત પછી પણ જીવશે....... શુન્યકાર પણ એક શબ્દજ છે........જેમ ભગવાન ક્રિષ્ના દરેક જીવોમાં રહેલા છે એમ શબ્દ વિશ્વની દરેક ભાષામાં રહેલો છે.......... શબ્દો ભાષાનાં પ્રાણ છે....... શબ્દોની વ્યાખ્યા લાંબી છે.......... શબ્દોની વ્યાખ્યા અનંત છે.......