Sunday, December 5, 2010

પ્રશ્ન

ઈશ્વર-
માણસ તારી પાસે આવે
તારી મૂર્તિને
શ્રધ્ધા પૂર્વક નમન કરે
એ મૂર્તિ આગળ
લાખ્ખો રૂપિયા ધરે
અને
તને હિરા ઝવેરાતથી
લથબથ કરે
પણ
બદલામા તારુ
સદીઓથી અકબંધ રહેલુ
પથ્થરીયુ સ્મિત
અને સાથે
તારા કોઇ ચમત્કારની
ધરપત
જો જે હં
કોઇ અણસમજ ન કરતો!
મને તારી જાહોજલાલી
સામે કોઇ જ વાંધો નથી
પણ એક પ્રશ્ન છે
માણસની જાતને તારામાં છે
એટલીજ શ્રધ્ધા
માણસમાં હોત તો???

1 comment:

  1. wow........ mast vat kari te too....
    બદલામા તારુ
    સદીઓથી અકબંધ રહેલુ
    પથ્થરીયુ સ્મિત
    અને સાથે
    તારા કોઇ ચમત્કારની
    ધરપત
    aavo vichar nankda dimag ne ave kyathi che... bahu j sars var kahi.
    માણસની જાતને તારામાં છે
    એટલીજ શ્રધ્ધા
    માણસમાં હોત તો???
    but bagvan pan kadach thodo manas jevo j thava gayo atle manas ma manas ne shraddha na bese ane potani imp jadvai rahe!!!nice one..

    ReplyDelete