Thursday, September 12, 2013

તખ્તા પર ગુજરાતી લેખક્નો ‘પુનર્જન્મ’


૧૯૫૧નાં ગાળામાં એક ગુજરાતી લેખક ગુજરાતથી માઇલો દૂર મકાનના ભૂતનામની વાર્તાથી પોતાનાં લેખનની શરૂઆત કરે છે, જેની સાથે જ ગુજરાતી કથાસાહિત્યમાં બદલાવનો વાયરો ફૂંકાય છે. કલકત્તાથી શરૂ થયેલી તે લેખન યાત્રા છેક ૨૦૦૬માં અમદાવાદમાં વિરામ લે છે. ૫૫ વર્ષ લાંબી તેમની લેખન યાત્રામાં આ લેખક ગુજરાતી સાહિત્યમાં અને પત્રકારત્વમાં કેટલાય વિવાદો ઉપજાવે છે અને કેટલાંય પરિવર્તનો લાવે છે. તેજાબી મિજાજનાં એ લેખકનાં લેખનમાં હંમેશા તેજાબનાં છાંટા ઉડતા રહે છે, જે તેમનાં વાચકોને તો ઠીક પણ પ્રસંગોપાત તેમનાં દુશ્મનોને જરૂર દઝાડતા રહ્યાં છે. (દુશ્મનો ઉભા કરવા તેની હોબી હતી!) આજે એ લેખકની વિદાય થયાને સાત વર્ષ થયાં છે છતાં તેમનાં વ્યક્તિત્વનો જાદુ ઓસરવાનું નામ નથી લેતું. તેમની પર્સનાલિટીનાં પડઘા હજુય ડુબ્યાં નથી. તે લેખક એટલે ચંદ્રકાંત બક્ષી. યસ, બીજું કોઇ જ નહીં, વન એન્ડ ઓનલી ચંદ્રકાંત બક્ષી!

હમણાં બક્ષીબાબુ ફરીથી ગાજી રહ્યાં છે. અને એ પણ એકદમ નવા જ રૂપમાં! આજીવન લખતા રહેલા બક્ષીબાબુએ હવે ગુજરાતી રંગભૂમિ પર પોતાનો પગપેસારો કર્યો છે. અને દરવખતની જેમ જ અહીં પણ આવતાની સાથે જ તેમણે રંગભૂમિને ગજવી કાઢી છે. બક્ષીની પ્રતિભાને કદાચ ગાજવુ કે ગજાવવું શબ્દ સાથે ઘણું લેણું છે એટલે જ હમણાં છેલ્લાં બે મહિનાથી ગુજરાતી સાહિત્ય અને નાટકોનાં ચાહકોને મોઢે એક જ નામ ચઢેલુ છે. તે નામ એટલેહું ચંદ્રકાંત બક્ષી’! આ નાટકનું લેખન શિશિર રામાવતે કર્યું છે અને દિગ્દર્શન મનોજ શાહે કર્યું છે, તો બક્ષીને મંચ પર જીવતા કરવાનું કાર્ય કર્યું છે પ્રતીક ગાંધી નામના અભિનેતાએ. આઇડિયાઝ અનલિમિટેડના બૅનર હેઠળ તૈયાર થયેલું આ નાટક ૯૫ મિનિટનું ફુલ-લેન્થ નાટક છે. આ નાટકમાં સંગીત બહુ ઓછું છે. થોડાં થોડાં સમયે તેના સેટ બદલાતા નથી તો સીન પણ બહુ ઓછા બદલાય છે. તેમાં મધ્યાંતર અને સહકલાકારો જેવું કશું જ નથી. તો છે શું? પણ એમાં બક્ષી છે. માત્રને માત્ર ચંદ્રકાંત બક્ષી! જેને મ્યુઝિક કે સેટ જેવાં નાટકનાં અનિવાર્ય તત્વોની બહું પડી નથી હોતી.

એકપાત્રીય નાટક હું ચંદ્રકાંત બક્ષીબક્ષીની જીવનયાત્રા દરમિયાન આવેલા વિવિધ પડાવોને આવરી લેવામાં આવ્યા છે. પાલનપુર, કલકત્તા, મુંબઇ અને અમદાવાદ એમ કુલ ચાર શહેરોમાં વહેંચાયેલુ તેમનું જીવન ઉપરાંત તેમની લેખનયાત્રા તોકુત્તીવાર્તા અને સાધના કોલેજ વખતે થયેલાં વિવાદોને પણ તેમાં સમાવી લેવામાં આવ્યાં છે. આ નાટકના લેખક શિશિર રામાવત દ્વારા જો કોઇ એક વાત પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોય તો એ બક્ષીનો ઇગો છે. કારણકે જે માણસને અહં શબ્દ ઓમકાર જેવો લાગતો હોય એ માણસ પરનાં નાટકમાં અહંકારની વાત ન હોય તો વાત બરાબર નહીં જામે. નાટકનાં લેખક શિશિર રામાવત આ અંગેગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે તેમણે આ નાટકનાં લેખન દરમિયાન બક્ષીનાં ઇગોને યોગ્ય ન્યાય આપી શકાય એ માટે ખાસી એવી મહેનત કરી છે. એટલે જ તો નાટકનો પહેલો શબ્દ જ અંહકારથી ભરપૂર એવોહુંરાખવામાં આવ્યો છે. ઇનશોર્ટ બક્ષીનાં જીવનની જેમ જ આ નાટક પણ એકદમ ઘટનાપ્રચુર અને રોમાંચોથી ભરેલું છે.

બક્ષીને પોતાનાં લિટરરી ગોડ માનનાર શિશિર રામાવતને મતે બક્ષી ઉપરનું આ નાટક તૈયાર કરવું તેમના માટે એકદમ સરળ અને સૌથી અઘરું હતું. કારણકે બક્ષીને મળ્યા અને આટલા બધા વાંચ્યા પછી તેમને મંચ ઉપર રજૂ કરવા કોઇ અઘરી વાત ન હતી. પણ આટલા બધા કિસ્સાઓ અને પ્રસંગો વચ્ચે બક્ષીને અને તેમની પ્રતિભાને યોગ્ય રીતે જસ્ટિફાય કરવી તેમનાં માટે ખૂબ અઘરી વાત હતી. વધુમાં તેઓ જણાવે છે કે હું આ નાટકનાં લેખક કરતા આલેખક તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરું છું. કારણકે આ નાટકમાં બક્ષીની લાઇફ તો છે જ પણ ભાષા અને સંવાદો પણ બક્ષીના ખુદના જ છે એમ કહીએ તો ચાલે.’

હું ચંદ્રકાંત બક્ષીમોનોલોગ પ્રકારનું મધ્યાંતર વિનાનું નાટક છે. બક્ષીની ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રતીક ગાંધી શરૂઆતથી અંત સુધી સતત ૯૦ મિનિટ સુધી બક્ષીની ધારદાર શૈલીમાં તેમનાં પૂરા એટીકેટ્સ અને મેનર્સ સાથે આખું નાટક ભજવે છે અને દર્શકોની જબરી દાદ લઇ જાય છે. બક્ષીને અને પ્રતીક ગાંધીને સુરત સાથે ઘણું કનેક્શન છે. પ્રતીક મૂળ સુરતનો જ છે તોકુત્તીવાર્તાને કારણે બક્ષીનાં અને સુરતનાં સંબંધ પણ જગજાહેર છે. મજાની વાત એ છે કે બક્ષીના પાત્રને બાઅદબ ભજવીને બક્ષીનાં ચાહકોને તેમની યાદ તાજી કરાવનાર પ્રતીકે આજ સુધી બક્ષીને વાંચ્યા નથી કે તેમના કોઇ વીડિયો પણ જોયા નથી. માત્ર શિશિર રામાવત અને મનોજ શાહનાં જણાવ્યાં મુજબ તેણે તેનું પાત્ર તૈયાર કર્યુ અને ભજવ્યું. પ્રતીક ગાંધી ગુજરાત ગાર્ડિયનને જણાવે છે કે બક્ષીનાં પાત્રને યોગ્ય ન્યાય મળી રહે એ માટે જાણીજોઇને તેણે બક્ષીને વાંચ્યા નથી કે તેમના કોઇ વીડિયો જોયા નથી.
પ્રતીકને બક્ષીનું પાત્ર મળ્યું ત્યારે તેને કેવી લાગણી થઇ હતી એ વિશે પૂછતા તે કહે છે કે તે અત્યંત રોમાંચિત થઇ ગયો હતો. કારણકે તેણે ભલે બક્ષીને વાંચ્યા ન હતાં, પણ તેણે બક્ષી વિશે સાંભળ્યુ તો હતું જ. બક્ષીનો રોલ કરતી વખતે એક વખત તો તેને થોડો ગભરાટ પણ થઇ ગયેલો પરંતુ બાદમાં તે તેનાં અભિનય દ્વારા અદ્લ બક્ષીને પરફોર્મ કરવામાં સફળ રહ્યો. મંચ પર બક્ષીનું પાત્ર યોગ્ય રીતે ઉજાગર  કરી શકાય એ માટે શિશિર રામાવત, મનોજ શાહ અને પ્રતીક ગાંધીએ સતત ત્રીસ દિવસ સુધી આકરી મહેનત કરી હતી. જેમાં બક્ષીની બોલવા ચાલવાથી માંડીને કપડા પહેરવાની સ્ટાઇલ જેવી ઝીણામાં ઝીણી બાબતનું અત્યંત ધ્યાન રાખવામાં આવ્યું હતું.

આમ, આકરી તૈયારી બાદ જ્યારે નાટક તૈયાર થઇ ગયું પછી પ્રતીક ગાંધી અને શિશિર રામાવતનાં મનમાં ક્યાંક ક્યાંક ડર હતો કે પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા બક્ષીને મંચ પર રજૂ કરવામાં ક્યાંક ચૂક તો નહીં રહીં ગઇ હોય ને? પરંતુ મુંબઇમાં જ્યારે તેનો પહેલો શૉ થયો ત્યારે પ્રતીકના બક્ષીના રૂપમાં મંચ પર આવતા જ દર્શકો વાહવાહ પોકારી ઉઠ્યા અને નાટકનો છેલ્લો સંવાદ બોલતાની સાથે જ દર્શકોએ ઉભા થઇને બક્ષીને વધાવી લીધા. પ્રતીકના મતે તેને મળેલી આ અભૂતપૂર્વ સફળતાનાનો બધો શ્રેય બક્ષીને જ જાય છે.

હમણાં સુધીમાં આ નાટકનાં કુલ દસ શૉ થયાં છે અને એ તમામ શૉ હાઉસફુલ ગયા છે એ કહેવાની જરૂર નથી. ફેસબુક ઉપર આ નાટકને લઇને કોઇ પણ જાહેરાત થાય છે ત્યારે તે પોસ્ટ પર સેંકડો કોમેન્ટસ આવે છે અને એ બધામાં પ્રધાન સૂર એ જ હોય છે કે બક્ષીને અમારા શહેરમાં ક્યારે લાવો છો? ઉપરાંત જે લોકોએ બક્ષીને જોયા છે અથવા જેમને બક્ષી સાથે સંબંધો હતા એ લોકો આ નાટક જોઇને ભાવવિભોર થઇ ગયા હતાં. નાટક પૂરુ થયાં પછી કેટલાય લોકો બેકસ્ટેજ જઇને પ્રતીકની પીઠ થાબડી આવ્યા છે કે, ‘યાર તે બક્ષીની યાદો તાજી કરાવી દીધી.’ આ તો ઠીક ખુદ ચંદ્રકાંત બક્ષીનાં દીકરી રીવા બક્ષી પણ તેમના પપ્પાનાં પાત્રને મંચ પર જોઇને અત્યંત રોમાંચિત થઇ ગયાં હતાં.


કેટલાક એવા પણ યુવાનો છે જેઓએ બક્ષીને વાંચ્યા નથી કે તેમનાં વિશે સાંભળ્યુ પણ નથી. પણ નાટક જોયા બાદ એમણે હવે બક્ષીના પુસ્તકો અને ખાસ તોબક્ષીનામાની શોધ આદરવી શરૂ કરી દીધી છે. શિશિર રામાવતને મતે તેમણે આ નાટકનાં લેખન દ્વારા પોતાના ગુરુ સમા બક્ષીને અંજલિ આપી છે તો બક્ષીને ભજવ્યા બાદ એક નવી ઓળખાણ પામેલા પ્રતીક ગાંધી બક્ષી અને સુરતને સાથે સાંકળીને કહે છે કે, ‘મારું અત્યારનું જે સુરત છે, બક્ષી એટલા જ ખૂબસૂરત છે.’ બાય ધ વે, આ નાટક થોડાં જ દિવસોમાં સુરત પણ આવે છે!


બક્ષી સાહેબ ઉપરનાં આ આર્ટિકલ બાદ શ્રી શિશિર રામાવતે તાબડતોડ કેટલાંક સૂચનો પણ મોકલ્યાં. તેમનાં આ સૂચનો મને જ નહીં, પરંતુ મારા જેવા અન્ય યુવાપત્રકારોને પણ લેખે લાગે એવાં છે. નવી કલમને આ રીતે પ્રોત્સાહન આપવા બદલ હું તેમનો આભાર માનું છું સાથે જ વચન પણ આપું છું કે આવી ભૂલો ફરી ક્યારેય નહીં થાય!!

Dear Ankit, 

First thing first. I loved your article on "Hu Chanadraknt Bakshi". Thank you very much. Hopefully, your piece should help generating curiosity about the play in your city. 

Now, let's talk editorially. During my journalistic years, I have written and edited so many of  such features. So whenever I read anything in Gujarati, an editor inside me gets activated instantly! Let's completely forget the fact that this piece is about my play. Or I have been quoted in it. Let me give my observations as a neutral person. 

(1) You said you feel certain sense of incompleteness regarding the article. You are article. The article IS incomplete.You missed Manoj Shah's quote! He is the creator of the play, the captain of the ship. When you have taken writer and actor's quotes, the director's version is a must. It would have given balance to the entire piece. Also you had enough space to do so. All you had to do was pick up the phone and call him up. He is such a nice person - you would have loved interacting with him.  

Remember, whenever, you write an elaborate feature like this on a play or a film and talk to various people associated with it, the director's quote is a must. 

(2) Always use respectful expressions for the person you are talking about. For example, in this article, you have written: "Pratik mul Surat no chhe..." Nope. It sounds rude.  It has to be "Pratik mul Surat NA chhe." You are talking about an adult man who is a brilliant actor. You have to use maan-vachak shabd for any person you are writing about. No need to add post-fix of "bhai" (Pratikbhai) or 'bahen' but it has to be "Tame" or "Teo". This of course applies to a lady as well.  "Falguni Pathak Surat aavavani chhe" - wrong, "Falguni Pathak Surat aavavaNA chhe" - right. Yes, if it is a kid or a teenager, "tu" or "tukaro" is okay. 

(3)  Ankit, this are small things, but very important. As an English saying goes, "God lies in the details". A piece with your byline represents your personality. Therefore, the language and expressions you use have to be very, very dignified and classy. Never rude or 'chalu'. (Not that you have used chalu bhasha in this piece.) Even when you are writing a critical piece on some issue, or you are showing your "raudra swaroop" to screw somebody up through your pen, the dignity of the language has to be maintained.  

You pleasantly remind me of days when I was a cub journalist myself. I feel very good when I see young talents like you doing performing so sincerely and beautifully. Mind you, your language and presentation is already up-to-the-mark. But these are chhote-bade points, which should enhance your writings if applied. 

Chalo. Keep writing! All the best!


2 comments:

  1. Nice article..!!! n thank you for sharing reply from shri.shirish Bhai..!!! keep writing..!!! :)

    ReplyDelete
  2. detailed and deep comments by Shishir ji-- and that's ur humbleness and craving to get better in your work as you posted that on ur blog and confess that you will improve next time --- God Bless:)

    ReplyDelete